Sunday, 29 April 2018

#ગમતો_શેર : ૬

#ગમતો_શેર :
          આ-સ્વાદ :~) મનન બુધ્ધદેવ

અપની વજહે બરબાદી સુનિયે તો મઝે કી હૈ,
ઝિંદગી  સે  યૂં  ખેલે, જૈસે  દૂસરે  કી  હૈ !!
                                  - જાવેદ અખ્તર

પ્રખ્યાત ગીતકાર જાવેદ અખ્તર પોતાની જિંદગીનો હિસાબ જાણે આ શેરમાં માંડે છે. શાયર કહે છે કે, અમારી બરબાદીનું કારણ મજાનું છે.

કેટલાક લોકો બીજાની જિંદગીને બરબાદ કરવા જ સતત મથતાં હોય છે, એમને મન બીજાની જિંદગીની કોઈ કિંમત હોતી નથી. શાયર કહે છે, જેવું લોકો બીજાની સાથે કરે એવું અમે અમારી જિંદગી સાથે કર્યું છે.

પોતાની જ જિંદગી સાથે કોઈ મમત રાખ્યા વિના કેટલીક રમત જાત સાથે કરી છે. જિંદગી સાથે ખેલેલો ખેલ જ ખિલવાડનું કારણ છે! ને તોય શાયર એને મજાનું કહે છે!!

છે ને પોતાનાં જીવન વિશેનું  શાયરનું મજાનું સરવૈયું!

જીઓ... શાયર!

No comments:

Post a Comment

યે ઝીંદગી યાદો કી ગુલ્લક સી......

            જિંદગી એટલે પળેપળમાં જીવાતી યાદોની ખુશ્બુભરી સ્મૃતિ..... જીવાયેલું જીવન હંમેશા મીઠી યાદોમાં સમાયેલું રહે છે..... કોઈ ગુલ્લક જે...