#ગમતો_શેર :
આ-સ્વાદ :~) મનન બુધ્ધદેવ
એણે એવું કીધું કે જાવ સુખની ચાવી શોધી લાવો,
ને હું તો એને શોધું છું કે સુખને તાળું કોણે માર્યું?
- ભાવેશ ભટ્ટ
મુશાયરામાં આગવા મિજાજ માટે જેઓ ખૂબ લોકપ્રિય છે એવા શાયર ભાવેશ ભટ્ટનો આ શેર જિંદગીના રહસ્યને લોકભાષામાં અનલૉક કરે છે!
જેમ આપણા ઘરને આપણે તાળું મારીએ અને પછી ચાવી ખોવાઈ જાય તો શોધવી પડે તેમ સુખના ઘરને પહેલાં આપણે જ તાળું મારીએ છીએ ને પછી એની ચાવી શોધવાના ઠેર ઠેર ઉધામા કરીએ છીએ!!
આપણે સુખની શોધમાં આંખો મીંચીને એવાં તલ્લીન હોઈએ છીએ કે સુખ આંખ સામે હોય તોય દેખાતું નથી. સુખની શોધ ખુદની ખોજમાં જ છે!
છે ને સુખની ચાવી શોધવા માટેના આપણા કાવાદાવા પર કવિનો કડવો કટાક્ષ!
જીઓ... શાયર!
આ-સ્વાદ :~) મનન બુધ્ધદેવ
એણે એવું કીધું કે જાવ સુખની ચાવી શોધી લાવો,
ને હું તો એને શોધું છું કે સુખને તાળું કોણે માર્યું?
- ભાવેશ ભટ્ટ
મુશાયરામાં આગવા મિજાજ માટે જેઓ ખૂબ લોકપ્રિય છે એવા શાયર ભાવેશ ભટ્ટનો આ શેર જિંદગીના રહસ્યને લોકભાષામાં અનલૉક કરે છે!
જેમ આપણા ઘરને આપણે તાળું મારીએ અને પછી ચાવી ખોવાઈ જાય તો શોધવી પડે તેમ સુખના ઘરને પહેલાં આપણે જ તાળું મારીએ છીએ ને પછી એની ચાવી શોધવાના ઠેર ઠેર ઉધામા કરીએ છીએ!!
આપણે સુખની શોધમાં આંખો મીંચીને એવાં તલ્લીન હોઈએ છીએ કે સુખ આંખ સામે હોય તોય દેખાતું નથી. સુખની શોધ ખુદની ખોજમાં જ છે!
છે ને સુખની ચાવી શોધવા માટેના આપણા કાવાદાવા પર કવિનો કડવો કટાક્ષ!
જીઓ... શાયર!
No comments:
Post a Comment