Showing posts with label જાવેદ અખ્તર. Show all posts
Showing posts with label જાવેદ અખ્તર. Show all posts

Monday, 30 April 2018

#ગમતો_શેર : ૮

#ગમતો_શેર :
            આ-સ્વાદ :~) મનન બુધ્ધદેવ

સમઝ સકે તો સમઝ ઝિંદગી કી ઉલઝન કો,
સવાલ ઉતને નહીં હૈ, જવાબ જિતને હૈ!!

                                  - જાંનિસાર અખ્તર

પ્રખ્યાત શાયર જાવેદ અખ્તરના પિતાશ્રી જાંનિસાર અખ્તરે અહીં જિંદગી અને તેમાં આવતી મૂંઝવણોના મૂળ કારણની વાત કરી છે.

જીવનમાં આવતી અણધારી સમસ્યાઓ એ સમસ્યાઓ નથી, પણ એ સમસ્યાઓના મોટા મોટા લોકોએ આપેલા (ખોટા) સમાધાનો જ એક સમસ્યા છે.

સવાલો છે એનો સવાલ નથી, પણ સવાલના કેટલા બધા જવાબો છે, એમાંથી સાચો કયો છે, એ સવાલ છે.

ઉલઝન એ છે કે એની કહેવાતી સુલઝનો જાજી છે, છે ને અદ્ભૂત વિચાર!


જીઓ... શાયર!

Sunday, 29 April 2018

#ગમતો_શેર : ૬

#ગમતો_શેર :
          આ-સ્વાદ :~) મનન બુધ્ધદેવ

અપની વજહે બરબાદી સુનિયે તો મઝે કી હૈ,
ઝિંદગી  સે  યૂં  ખેલે, જૈસે  દૂસરે  કી  હૈ !!
                                  - જાવેદ અખ્તર

પ્રખ્યાત ગીતકાર જાવેદ અખ્તર પોતાની જિંદગીનો હિસાબ જાણે આ શેરમાં માંડે છે. શાયર કહે છે કે, અમારી બરબાદીનું કારણ મજાનું છે.

કેટલાક લોકો બીજાની જિંદગીને બરબાદ કરવા જ સતત મથતાં હોય છે, એમને મન બીજાની જિંદગીની કોઈ કિંમત હોતી નથી. શાયર કહે છે, જેવું લોકો બીજાની સાથે કરે એવું અમે અમારી જિંદગી સાથે કર્યું છે.

પોતાની જ જિંદગી સાથે કોઈ મમત રાખ્યા વિના કેટલીક રમત જાત સાથે કરી છે. જિંદગી સાથે ખેલેલો ખેલ જ ખિલવાડનું કારણ છે! ને તોય શાયર એને મજાનું કહે છે!!

છે ને પોતાનાં જીવન વિશેનું  શાયરનું મજાનું સરવૈયું!

જીઓ... શાયર!

યે ઝીંદગી યાદો કી ગુલ્લક સી......

            જિંદગી એટલે પળેપળમાં જીવાતી યાદોની ખુશ્બુભરી સ્મૃતિ..... જીવાયેલું જીવન હંમેશા મીઠી યાદોમાં સમાયેલું રહે છે..... કોઈ ગુલ્લક જે...