Monday, 30 April 2018

#ગમતો_શેર : ૮

#ગમતો_શેર :
            આ-સ્વાદ :~) મનન બુધ્ધદેવ

સમઝ સકે તો સમઝ ઝિંદગી કી ઉલઝન કો,
સવાલ ઉતને નહીં હૈ, જવાબ જિતને હૈ!!

                                  - જાંનિસાર અખ્તર

પ્રખ્યાત શાયર જાવેદ અખ્તરના પિતાશ્રી જાંનિસાર અખ્તરે અહીં જિંદગી અને તેમાં આવતી મૂંઝવણોના મૂળ કારણની વાત કરી છે.

જીવનમાં આવતી અણધારી સમસ્યાઓ એ સમસ્યાઓ નથી, પણ એ સમસ્યાઓના મોટા મોટા લોકોએ આપેલા (ખોટા) સમાધાનો જ એક સમસ્યા છે.

સવાલો છે એનો સવાલ નથી, પણ સવાલના કેટલા બધા જવાબો છે, એમાંથી સાચો કયો છે, એ સવાલ છે.

ઉલઝન એ છે કે એની કહેવાતી સુલઝનો જાજી છે, છે ને અદ્ભૂત વિચાર!


જીઓ... શાયર!

No comments:

Post a Comment

યે ઝીંદગી યાદો કી ગુલ્લક સી......

            જિંદગી એટલે પળેપળમાં જીવાતી યાદોની ખુશ્બુભરી સ્મૃતિ..... જીવાયેલું જીવન હંમેશા મીઠી યાદોમાં સમાયેલું રહે છે..... કોઈ ગુલ્લક જે...