Sunday, 15 April 2018

#ગમતો_શેર : ૨

#ગમતો_શેર :
         આ-સ્વાદ :~) મનન બુધ્ધદેવ

આજ વરસાદ નથી એમ ના કહેવાય, રમેશ,
એમ કહીએ કે હશે, આપણે ભીના ન થયા.

                                              - રમેશ પારેખ

'છ અક્ષરનું નામ'વાળા રમેશ પારેખ જીવનની હકારાત્મકતાને શેરમાં ભેળવે છે. વરસાદ આવે ને માણસ બહારથી ભીંજાય પણ અંદરથી કોરો રહી જાય તો એમાં વરસાદનો શું વાંક!? આપણે આવરણોનો રેઇનકોટ કાઢીએ નહીં એમાં વરસાદ શું કરે!?

જિંદગી માણસને તરબતર કરવા તત્પર જ હોય છે, પણ આપણી ભીંજાવાની તૈયારી હોવી જોઈએ.

સંબંધોમાં ભીંજાવું કે ન ભીંજાવું એ આપણા હાથની વાત છે. કેટલાકને એકાદો વરસાદેય કાયમ ભીંજવેલા રાખે, તો કેટલાક ચોમાસે ચોમાસે કોરાં જ રહી જતાં હોય છે!

વરસાદ તો ભીંજવવા જ વરસતો હોય છે, ભીંજાવા માટે આપણું જીવંતપણું જરૂરી છે!

છે ને ભીંજવી નાખે એવી વાત...!


જીઓ.... શાયર!

No comments:

Post a Comment

યે ઝીંદગી યાદો કી ગુલ્લક સી......

            જિંદગી એટલે પળેપળમાં જીવાતી યાદોની ખુશ્બુભરી સ્મૃતિ..... જીવાયેલું જીવન હંમેશા મીઠી યાદોમાં સમાયેલું રહે છે..... કોઈ ગુલ્લક જે...