#ગમતો_શેર :
આ-સ્વાદ :~) મનન બુધ્ધદેવ
કો’ક દિ’ એકાંતમાં ખપ લાગશે,
આ-સ્વાદ :~) મનન બુધ્ધદેવ
કો’ક દિ’ એકાંતમાં ખપ લાગશે,
લાવ મારી યાદ વળગાડું તને.
- ખલીલ ધનતેજવી
પહાડી અવાજના માલિક ખલીલ ધનતેજવીની શાયરીમાં લાગણીઓ ભારોભાર ભરેલી હોય છે. પ્રિયજનની સ્મૃતિઓ જ પ્રિયજનને કાયમ પ્રિયજન રાખે છે. અંગત સાથેની સંગતની રંગતને યાદોથી અંકિત કરવાની હોય છે.
મનુષ્યને અંદરથી કોરી ખાનાર કોઈ હોય તો તે એકાંત છે. જીવનમાં રોજ કેટલીયે ઘટનાઓ બને છે એ બધી યાદો બની નથી જતી. કેટલીક જ યાદો હોય છે, જે કાળાંતર સુધી ટકતી હોય છે.
પ્રિયજનને યાદોને આપવાની નથી, વળગાડવાની છે, જેથી તે ક્યારેક વિસરાય જ નહીં ને સાચવી રાખેલ મૂડીની જેમ એકાંતમાં ખપ લાગે, કામમાં આવે!
છે ને પ્રિયજનના એકાંત વિશેની કવિની ચિંતા અને એનું અનોખું સમાધાન!
જીઓ..... શાયર!
- ખલીલ ધનતેજવી
પહાડી અવાજના માલિક ખલીલ ધનતેજવીની શાયરીમાં લાગણીઓ ભારોભાર ભરેલી હોય છે. પ્રિયજનની સ્મૃતિઓ જ પ્રિયજનને કાયમ પ્રિયજન રાખે છે. અંગત સાથેની સંગતની રંગતને યાદોથી અંકિત કરવાની હોય છે.
મનુષ્યને અંદરથી કોરી ખાનાર કોઈ હોય તો તે એકાંત છે. જીવનમાં રોજ કેટલીયે ઘટનાઓ બને છે એ બધી યાદો બની નથી જતી. કેટલીક જ યાદો હોય છે, જે કાળાંતર સુધી ટકતી હોય છે.
પ્રિયજનને યાદોને આપવાની નથી, વળગાડવાની છે, જેથી તે ક્યારેક વિસરાય જ નહીં ને સાચવી રાખેલ મૂડીની જેમ એકાંતમાં ખપ લાગે, કામમાં આવે!
છે ને પ્રિયજનના એકાંત વિશેની કવિની ચિંતા અને એનું અનોખું સમાધાન!
જીઓ..... શાયર!
No comments:
Post a Comment