કલાનો કોઈ એક ધર્મ હોતો નથી,
કોઇપણ ધર્મ કલા વગરનો હોતો નથી!
હિંદુ કવિયિત્રીએ લખેલું, મુસ્લિમ ગાયકે ગાયેલું, શીખ ધર્મની નામસ્મરણ ભક્તિના વિચારને અને બૌદ્ધધર્મના ‘ધ્યાન’ના ખ્યાલને રજુ કરતું એક ભજન જે ઉપરના વાક્યને સુપેરે સાબિત કરે છે, એ ભજન છે ‘साँसों की माला पे सिमरूँ मैं पी का नाम’
આ ભજનના રચયિતા છે મીરાંબાઈ.(source: Wikipedia) કૃષ્ણભક્તિમાં લીન મીરાંબાઈ કૃષ્ણને પોતાનાથી અલગ ગણતાં જ નથી. મનને હરી લેનાર હરિનું સતત સ્મરણ કર્યા કરે છે. ને સ્મરણ કરવાની રીતેય નિરાળી છે! ‘साँसों की माला’થી નામસ્મરણ કરે છે! છે ને અદ્ભુત કલ્પના !
આશરે ૧૬મી સદીમાં લખાયેલી આ રચનાને ‘અમરત્વ’ આપવાનું કામ કર્યું છે, નુસરત ફતેહ અલી ખાં સાહેબે. ઈ.સ.૧૯૭૯માં તેઓ ભારત આવ્યા ત્યારે આ રચના કવ્વાલીના ઢાળમાં ખુબ જ પ્રખ્યાત થયેલી. આ અનોખી બંદિશનો આસ્વાદ અત્રે રજુ કરૂ છું.
આ ભજનના રચયિતા છે મીરાંબાઈ.(source: Wikipedia) કૃષ્ણભક્તિમાં લીન મીરાંબાઈ કૃષ્ણને પોતાનાથી અલગ ગણતાં જ નથી. મનને હરી લેનાર હરિનું સતત સ્મરણ કર્યા કરે છે. ને સ્મરણ કરવાની રીતેય નિરાળી છે! ‘साँसों की माला’થી નામસ્મરણ કરે છે! છે ને અદ્ભુત કલ્પના !
આશરે ૧૬મી સદીમાં લખાયેલી આ રચનાને ‘અમરત્વ’ આપવાનું કામ કર્યું છે, નુસરત ફતેહ અલી ખાં સાહેબે. ઈ.સ.૧૯૭૯માં તેઓ ભારત આવ્યા ત્યારે આ રચના કવ્વાલીના ઢાળમાં ખુબ જ પ્રખ્યાત થયેલી. આ અનોખી બંદિશનો આસ્વાદ અત્રે રજુ કરૂ છું.
साँसों की माला पे सिमरूँ मैं पी का नाम
अपने मन की मैं जानूँ और पी के मन की राम
अपने मन की मैं जानूँ और पी के मन की राम
पी એટલે પ્રિયત્તમ. કૃષ્ણને જ પ્રિયત્તમ માનનારી મીરાં શ્વાસોની માળા બનાવીને તેને યાદ કરે. હાથમાં રાખવાની માળા તો ગણી શકાય, શ્વાસ અગણિત અને અવિરત હોય છે તેથી ‘પી’નું નામ નીશદિન મનમાં જ હોય! પ્રખ્યાત શાયર એહમદ ફરાઝે લખ્યું છે,
तोड़ दिया तस्बी को इस ख्याल से "फ़राज़"
क्या गिन गिन के नाम लेना उसका जो बेहिसाब देता है
(तस्बी = माला)
પ્રિયત્તમના મનમાં શું ચાલે છે એની મને ખબર નથી ને મને પરવાય નથી, હું સતત તેની યાદમાં જીવું છું. શ્વાસ જ એ છે! આવી જ કૈંક વાત કવિ મનહર મોદી એ એક શેરમાં કરી છે,
જીવી શકું હું કઈ રીતે તમને સ્મર્યા વગર
પાંપણ કદીયે રહી શકે મટકું ભર્યા વગર !
यही मेरी बंदगी है यही मेरी पूजा,
अब मैं साँसों की माला पे…
इक का साजन मन्दिर में, इक का प्रीतम मस्जिद में,
पर मैं साँसों की माला पे…
કોઈ મંદિરમાં જઈને ઈશ્વરને શોધે છે તો કોઈ મસ્જિદમાં, પણ ઈશ્વર કે અલ્લાહ તો સૃષ્ટિનાં કણેકણમાં છે. ઈશ્વરની સાજન કે પ્રીતમ સાથેની સરખામણી ભજનને નવી જ ઉંચાઈ આપે છે. શ્વાસની માળાથી જ ઈશ્વરને પામવાની મીરાંબાઈની મથામણ ઘણું કહી જાય છે, આ સાચી બંદગી છે અને આ જ સાચી પૂજા છે!
हम और नहीं कछु काम के मतवारे पी के नाम के,
साँसों की माला पे…
ગાલિબનો આ શેર પ્રેમમાં થતી પ્રિયજનોની સ્થિતિ વર્ણવે છે,
इश्क ने गालिब निकम्मा कर दिया,
वर्ना हम भी आदमी थे काम के!!
પ્રિયત્તમનાં નામસ્મરણમાં લીન વ્યક્તિ બીજાને કોઈ કામનો લાગતો નથી. એની કામના પૂરી થાય એ જ એનું કામ રહ્યું હોય છે!
प्रेम के रंग में ऐसी डूबी बन गया एक ही रूप,
प्रेम की माला जपते जपते आप बनी मैं श्याम,
साँसों की माला पे…
એ પ્રિયત્તમ, હું એટલી તારામય બની ગઈ છું કે, હું હું જ નથી, હું તું જ થઇ ગઈ છું જાણે! પ્રિયજનના પ્રેમમાં એકરૂપ થયેલી પ્રિયત્તમાએ એની સખીને એકવાર એવું કહ્યું કે,साँसों की माला पे…
सजनी पाती तब लिखूं जो प्रीतम हो परदेस
तन में मन में पिया बसे भेजूं किसी संदेस
નુસરત ફતેહ અલી ખાં સાહેબે આ કવ્વાલીની શરૂઆતમાં એક શેર ગાયો છે.
आ पिया इन नैनन में जो पलक ढाँक तोहे लूँ,
न मैं देखूँ गैर को न तोहे देखन दूँ
પ્રેમભક્તિનાં સાગરમાં ડૂબેલી પ્રિયત્તમા ઈશ્વર સાથે એકાકાર થઇ જાય એટલું તાદાત્મ્ય અનુભવે છે!
प्रीतम का कुछ दोष नहीं है वो तो है निर्दोष
अपने आप से बातें करके हो गयी मैं बदनाम,
साँसों की माला पे…
साँसों की माला पे…
મારી તારામય પરિસ્થિતિ માટે પ્રિયત્તમ તું જવાબદાર નથી. હું તારી સાથે વાત કરું ત્યારે થાય છે એવું કે હું મારી જાત સાથે જ વાત કરું છું! અત્યારે કૃષ્ણભક્તિ માટે મીરાંબાઈને યાદ કરતો આપણો સમાજ એમના સમયમાં એમને સમજી શક્યો ન્હોતો અને આમેય આ સમાજને એ આદત હજુ પણ ક્યાં ગઈ છે! જાત સાથે સંવાદ કરતી મીરાંને લોકો જે માનતા હોય પણ એ મીરાં તો શ્વાસની માળા ફેરવવામાં જ લીન છે. કોઈકે કહ્યું છે ને કે,
કૃષ્ણ એટલે મીરાંમાં છુપાયેલો શ્વાસ,
મીરાં એટલે કૃષ્ણએ સ્વીકારેલો શ્વાસ.
जीवन का सिंगार है प्रीतम माँग का है सिंदूर
प्रीतम की नजरों से गिरकर जीना है किस काम,
साँसों की माला पे…
साँसों की माला पे…
પ્રિયત્તમ એટલે જ જીવન, જીવવાનું કારણ! એ જ જીવનનો ઉત્સવ અને એ જ જીવનનું સૌંદર્ય! જેમ સોળે શણગાર સજેલી સુહાગન સિંદુર વગર અધૂરી છે, એમ જ પ્રિયત્તમ વગર પ્રિયત્તમા અધુરી છે. પ્રિયત્તમની નજરોમાં જો માન ન રહે તો પછી જીવવાનું શું કામ છે? કંઇક આવું જ વિચારીને સીતામાતા ધરતીમાં નહિ સમાયા હોય ને ?!
જીવનનાં શ્વાસસમા પ્રીતમને સ્મરવામાં જ જીવનની સાર્થકતા માનતી નાયિકા પ્રીતમ વગર પોતાના અસ્તિત્વને કલ્પી શકતી નથી!
નુસરત સાહેબે ગાયેલી આ રચનાની YOUTUBE LINK:
ગમતો_શેર :
हर हरमें है हर बसे, हर हर को हर की आश
हर को हर हर ढूँढ फिरी
हर है मोरे पास !
- अज्ञात
Masttttt
ReplyDeleteKhub khub abhinandan manan Bhai..aa git ni samjuti na aasavad ma gani babto janva Mali...
ReplyDelete,,,vah....
ReplyDeleteઆભાર શર્માજી
DeleteWah
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDelete