Tuesday, 24 October 2017

साँसों की माला पे सिमरूँ मैं पी का नाम

કલાનો કોઈ એક ધર્મ હોતો નથી,
કોઇપણ ધર્મ કલા વગરનો હોતો નથી!

            હિંદુ કવિયિત્રીએ લખેલું, મુસ્લિમ ગાયકે ગાયેલું, શીખ ધર્મની નામસ્મરણ ભક્તિના વિચારને અને બૌદ્ધધર્મના ‘ધ્યાન’ના ખ્યાલને રજુ કરતું એક ભજન જે ઉપરના વાક્યને સુપેરે સાબિત કરે છે, એ ભજન છે ‘साँसों की माला पे सिमरूँ मैं पी का नाम’ 

          આ ભજનના રચયિતા છે મીરાંબાઈ.(source: Wikipedia) કૃષ્ણભક્તિમાં લીન મીરાંબાઈ કૃષ્ણને પોતાનાથી અલગ ગણતાં જ નથી. મનને હરી લેનાર હરિનું સતત સ્મરણ કર્યા કરે છે. ને સ્મરણ કરવાની રીતેય નિરાળી છે! ‘साँसों की माला’થી નામસ્મરણ કરે છે! છે ને અદ્ભુત કલ્પના !
             
              આશરે  ૧૬મી સદીમાં લખાયેલી આ રચનાને ‘અમરત્વ’ આપવાનું કામ કર્યું છે, નુસરત ફતેહ અલી ખાં સાહેબે. ઈ.સ.૧૯૭૯માં તેઓ ભારત આવ્યા ત્યારે આ રચના કવ્વાલીના ઢાળમાં ખુબ જ પ્રખ્યાત થયેલી. આ અનોખી બંદિશનો આસ્વાદ અત્રે રજુ કરૂ છું.

साँसों की माला पे सिमरूँ मैं पी का नाम
अपने मन की मैं जानूँ और पी के मन की राम
               पी એટલે પ્રિયત્તમ. કૃષ્ણને જ પ્રિયત્તમ માનનારી મીરાં શ્વાસોની માળા બનાવીને તેને યાદ કરે. હાથમાં રાખવાની માળા તો ગણી શકાય, શ્વાસ અગણિત અને અવિરત હોય છે તેથી ‘પી’નું નામ નીશદિન મનમાં જ હોય! પ્રખ્યાત શાયર એહમદ ફરાઝે લખ્યું છે, 
तोड़ दिया तस्बी को इस ख्याल से "फ़राज़"
क्या गिन गिन के नाम लेना उसका जो बेहिसाब देता है
(तस्बी = माला)
                પ્રિયત્તમના મનમાં શું ચાલે છે એની મને ખબર નથી ને મને પરવાય નથી, હું સતત તેની યાદમાં જીવું છું. શ્વાસ જ એ છે! આવી જ કૈંક વાત કવિ મનહર મોદી એ એક શેરમાં કરી છે,
જીવી શકું હું કઈ રીતે તમને સ્મર્યા વગર
પાંપણ કદીયે રહી શકે મટકું ભર્યા વગર !

यही मेरी बंदगी है यही मेरी पूजा,
अब मैं साँसों की माला पे…
इक का साजन मन्दिर में, इक का प्रीतम मस्जिद में,
पर मैं साँसों की माला पे…
            કોઈ મંદિરમાં જઈને ઈશ્વરને શોધે છે તો કોઈ મસ્જિદમાં, પણ ઈશ્વર કે અલ્લાહ તો સૃષ્ટિનાં કણેકણમાં છે. ઈશ્વરની સાજન કે પ્રીતમ સાથેની સરખામણી ભજનને નવી જ ઉંચાઈ આપે છે. શ્વાસની માળાથી જ ઈશ્વરને પામવાની મીરાંબાઈની મથામણ ઘણું કહી જાય છે, આ સાચી બંદગી છે અને આ જ સાચી પૂજા છે!

हम और नहीं कछु काम के मतवारे पी के नाम के,
साँसों की माला पे…
            ગાલિબનો આ શેર પ્રેમમાં થતી પ્રિયજનોની સ્થિતિ વર્ણવે છે,
इश्क ने गालिब निकम्मा कर दिया,
वर्ना हम भी आदमी थे काम के!!
           પ્રિયત્તમનાં નામસ્મરણમાં લીન વ્યક્તિ બીજાને કોઈ કામનો લાગતો નથી. એની કામના પૂરી થાય એ જ એનું કામ રહ્યું હોય છે! 

प्रेम के रंग में ऐसी डूबी बन गया एक ही रूप,
प्रेम की माला जपते जपते आप बनी मैं श्याम, 
साँसों की माला पे…
            એ પ્રિયત્તમ, હું એટલી તારામય બની ગઈ છું કે, હું હું જ નથી, હું તું જ થઇ ગઈ છું જાણે! પ્રિયજનના પ્રેમમાં એકરૂપ થયેલી પ્રિયત્તમાએ એની સખીને એકવાર એવું કહ્યું કે,
सजनी पाती तब लिखूं जो प्रीतम हो परदेस 
तन में मन में पिया बसे भेजूं किसी संदेस
             નુસરત ફતેહ અલી ખાં સાહેબે આ કવ્વાલીની શરૂઆતમાં એક શેર ગાયો છે.
आ पिया इन नैनन में जो पलक ढाँक तोहे लूँ, 
न मैं देखूँ गैर को न तोहे देखन दूँ
            પ્રેમભક્તિનાં સાગરમાં ડૂબેલી પ્રિયત્તમા ઈશ્વર સાથે એકાકાર થઇ જાય એટલું તાદાત્મ્ય અનુભવે છે! 

प्रीतम का कुछ दोष नहीं है वो तो है निर्दोष
अपने आप से बातें करके हो गयी मैं बदनाम, 
साँसों की माला पे…
           મારી તારામય પરિસ્થિતિ માટે પ્રિયત્તમ તું જવાબદાર નથી. હું તારી સાથે વાત કરું ત્યારે થાય છે એવું કે હું મારી જાત સાથે જ વાત કરું છું! અત્યારે કૃષ્ણભક્તિ માટે મીરાંબાઈને યાદ કરતો આપણો સમાજ એમના સમયમાં એમને સમજી શક્યો ન્હોતો અને આમેય આ સમાજને એ આદત હજુ પણ ક્યાં ગઈ છે! જાત સાથે સંવાદ કરતી મીરાંને લોકો જે માનતા હોય પણ એ મીરાં તો શ્વાસની માળા ફેરવવામાં જ લીન છે. કોઈકે કહ્યું છે ને કે,
કૃષ્ણ એટલે મીરાંમાં છુપાયેલો શ્વાસ,
મીરાં એટલે કૃષ્ણએ સ્વીકારેલો શ્વાસ.

जीवन का सिंगार है प्रीतम माँग का है सिंदूर
प्रीतम की नजरों से गिरकर जीना है किस काम,
 साँसों की माला पे…
            પ્રિયત્તમ એટલે જ જીવન, જીવવાનું કારણ! એ જ જીવનનો ઉત્સવ અને એ જ જીવનનું સૌંદર્ય! જેમ સોળે શણગાર સજેલી સુહાગન સિંદુર વગર અધૂરી છે, એમ જ પ્રિયત્તમ વગર પ્રિયત્તમા અધુરી છે. પ્રિયત્તમની નજરોમાં જો માન ન રહે તો પછી જીવવાનું શું કામ છે? કંઇક આવું જ વિચારીને સીતામાતા ધરતીમાં નહિ સમાયા હોય ને ?!
          જીવનનાં શ્વાસસમા પ્રીતમને સ્મરવામાં જ જીવનની સાર્થકતા માનતી નાયિકા પ્રીતમ વગર પોતાના અસ્તિત્વને કલ્પી શકતી નથી!
નુસરત સાહેબે ગાયેલી આ રચનાની YOUTUBE LINK:
ગમતો_શેર :
हर हरमें है हर बसे,
हर हर को हर की आश
हर को हर हर ढूँढ फिरी
हर है मोरे पास !

- अज्ञात

Sunday, 8 October 2017

रश्क-ए-क़मर

     ક્રિકેટના મેદાનમાં જેવી રસાકસી ભારત અને પાકિસ્તાન વચ્ચે જોવા મળતી આવી છે, એથીય વધુ રસારસી(કસી!) ભારત-પાકિસ્તાનના સંગીતની એકબીજા દેશના નાગરિકોમાં આજકાલ ઉભરાઈ રહી છે.

        એક એવા ગીતની વાત કરવી છે, જેને ભારતના કેટલાંય સંગીત રસીયાઓને તરબોળ કરી દીધા છે. આ એવું ગીત છે જેને સાંભળીને જ મારા જેવા કેટલાયને રાત્રે નીંદર આવે છે! ભારતના કેટલાંય ગાયકોએ પોતાની અદામાં એને ગાવાનો પ્રયાસ પણ કર્યો છે, એ નેહા કક્કર હોય, સોનું નિગમ હોય, કિર્તીદાન હોય કે પછી ઓસ્માણ મીર હોય. એવું લાજવાબ આ ગીત છે ‘रश्क-ए-क़मर’.

         મૂળ તો આ કવ્વાલીના ઢાળમાં ગવાયેલી રચના, આ ગઝલના શાયર છે ‘ફના બુલંદશહેરી’. આ રચનાને અદ્ભૂત રીતે સ્વરબદ્ધ કરીને ગાઈ છે નુસરત ફતેહ અલીખાં સાહેબે. છેક 1987માં આ હૃદયંગમ રચના રેકોર્ડ થયેલી. તાજેતરમાં આવેલ ફિલ્મ ‘બાદશાહો’ દ્વારા આ રચના ચર્ચામાં આવી છે.... જો કે એ આ ગીતના શબ્દો કરતા મૂળ શાયરે લખેલી રચના ખુબ જ સુંદર છે. અહિ ‘ફના બુલંદશહેરી’ સાહેબે લખેલ મૂળ રચનાનો આસ્વાદ રજુ કરેલ છે.
मेरे रश्के क़मर तू ने पहली नज़र 
जब नज़र से मिलाई मज़ा आ गया
          ગઝલમાં આવતો શબ્દ ‘रश्क-ए-क़मर’સાંભળવામાં લાગે છે એવો જ સુંદર એનાં અર્થમાં પણ છે. રશ્ક એટલે ઈર્ષ્યા અને કમર એટલે ચાંદ. ચાંદને જેની ઈર્ષ્યા આવે છે એવી સ્વરૂપવાન સ્ત્રી એટલે રશ્ક-એ-કમર. ઓછા શબ્દોમાં લાગણીની તીવ્રતા રજૂ કરવા પ્રખ્યાત એવી ઊર્દૂ ભાષાની આ રચના તેના દરેક શેરમાં નવી જ રીતે ઉઘડે છે.
बर्क सी गिर गयी काम ही कर गयी 
आग ऐसी लगायी मज़ा आ गया 
ઉર્દૂ હોય કે હિન્દી હોય કે ગુજરાતી હોય, ‘નજર’ પર દરેક ભાષાના કવિઓની નજર પડી છે. ને એમાંય પહેલી નજરે પ્રેમ તો આજીવન વાગોળવા જેવો હોય છે. અહી શાયર પહેલી નજરને વીજળી (બર્ફ નો અર્થ)ની ઉપમા આપે છે. નજર એટલી દાહક છે કે જાણે આગ લાગી ગઈ! અને આગ પણ એવી લાગી કે બસ મજા આવી ગઈ.

जाम में घौल कर हुस्न की मस्तियाँ 
चांदनी मुस्कुराई मज़ा आ गया
चाँद के साए में ऐ मेरे साकिया 
तू ने ऐसी पिलाई मज़ा आ गया 
તોફાની સૌન્દર્ય નસોમાં ભળી જતાં ચંદ્રની ચાંદની પણ સ્મિત કરી ઉઠે છે. ચાંદની રાતે પ્રિયતમા એ એવો જામ પીવડાવ્યો કે બસ મજા આવી ગઈ.

वो बे हिजबाना वो सामने आ गए 
और जवानी जवानी से टकरा गयी 
आँख उनकी लड़ी यूँ मेरी आँख से 
देख कर ये लड़ाई मज़ा आ गया 
(બે-હિઝાબાના એટલે પડદા વગર)
બેફામ સાહેબે લખ્યું છે ને...
“પ્રણયની સર્વથી પહેલી કહાણી થઇ ગઈ આંખો
કે ભાષા થઇ ગઈ દ્રષ્ટિ ને વાણી થઇ ગઈ આંખો.”

ક્યારેક ક્યારેક જ મળતી નજર કોઈપણ આવરણ વગર સામે આવી ચડે ત્યારે યૌવનોત્સવ થતો હોય છે. અહી શાયર કહે છે, આંખથી આંખની લડાઈ જોઇને મજા આવી ગઈ.

आँख में  थी हया हर मुलाक़ात पर 
सुर्ख आरिज़ हुए वसल की बात पर 
उसने शर्मा के मेरे सवालात पे 
ऐसे गर्दन झुकाई मज़ा आ गया
શરમાવું એ સ્ત્રીનો અબાધિત અધિકાર છે. ખરું કહો ને તો સૌન્દર્યનું શિરછોગું એટલે શરમાવું. દરેક મુલાકાતમાં શરમાતી નવયૌવનાના ગાલ મિલનની માત્ર વાત સાંભળીને જ લાલ થઇ જાય! અહી શાયરે અશાબ્દિક પ્રત્યાયનની પરાકાષ્ઠા રજુ કરી છે. ‘ઔર તેરા દાંતો મેં વો ઉંગલી દબાના યાદ હૈ’ એવું એક ગઝલમાં પણ આવે છે. શાયરાના સવાલો સાંભળીને મૌન રહી ઝુકેલી ગરદને ઉભેલી પ્રેમિકાને જોઇને બસ મજા આવી ગઈ.

ऐ ‘फ़ना’ शुकर है आज बाद-ए-फ़ना
उसने रख ली मेरे प्यार की आबरू 
अपने हाथों से उसने मेरी क़बर पर 
चादर-ए-गुल चढ़ाई मज़ा आ गया 
અહીં શાયર પોતાનું તખલ્લુસ ‘ફના’ શ્લેષમાં પ્રયોજે છે. પોતાને અને મૃત્યુને બંનેને કહે છે કે મૃત્યુ પછી તો તેણે મારી આબરૂ સાચવી લીધી. ભલે કદાચ જીવતાજીવે તેના હાથને સ્પર્શેલા ફૂલ મને નસીબ ન થયા. અને આમેય એવું કોણે કહ્યું છે કે, બેય વ્યક્તિ એકબીજાને કરે તો જ પ્રેમ થાય. હમણાં Whatsapp પર મેસેજ આવેલો, પ્રેમ કાંઇ થોડો વ્યવહાર છે કે તું કરે તો જ હું કરું? જેને ચાહવામાં આખી જિંદગી વિતાવી દીધી એ મર્યા પછી એકવાર કબર પર ફૂલો ચડાવી ગઈ ત્યારે પણ બસ! મજા આવી ગઈ!!

આ રહી નુસરત ફતેહ અલી ખાં સાહેબનાં મખમલી અવાજમાં રેકોર્ડ થયેલી આ રચના.....


ગમતો_શેર :
“તીરછી નજરોસે ન દેખો આશિકે દિલગીર કો,
કૈસે તીરંદાજ હો? સીધા તો કરલો તીર કો”
-વઝીર લખનવી

યે ઝીંદગી યાદો કી ગુલ્લક સી......

            જિંદગી એટલે પળેપળમાં જીવાતી યાદોની ખુશ્બુભરી સ્મૃતિ..... જીવાયેલું જીવન હંમેશા મીઠી યાદોમાં સમાયેલું રહે છે..... કોઈ ગુલ્લક જે...